Wednesday, November 15, 2006

ભૂલ કરવામાં -કેશવ પરમાર

ભૂલ કરવામાં એક દાખલો હોય છે,
પછી પરંપરાનો મોટો કાફલો હોય છે.

રસ્તો નથી મળતો પરિઘનો વર્તુળમાં,
નહીં તો છૂટવા માટે ક્યાંક ઝાંપલો હોય છે.

સહનશીલતા ગુમાવી ભલે મૌતને ભેટે,
પણ દીવાદાંડી સમ ક્યાંક થાંભલો હોય છે.

ડરતો હતો હું મારો જ પડછાયો જોઇને ભલા,
પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ ભૂતનો મામલો હોય છે.

‘કેશવ’ જગને હસાવે છે નવા વેષ કાઢીને,
હકીકતમાં તો જીવનમાં દુ:ખી ડાગલો હોય છે.

I just came in contect with this poet's poem and they are such amazing...
i dont know how i never read him before!!
But its like ocean and i m just sitting at the shore.....

No comments: