Monday, January 25, 2010

Varsad - Gunvant Shah

ઈશ્વર સાથે વાતચીતનો મેળ
ઝટ પડતો નથી.
આપણી લાગવગ ટૂંકી પડે છે.

એક ખાનગી ઉપાય
મને જડ્યો છે.
આકાશમાંથી એની કૃપા
વરસી રહી હોય
ત્યારે એમાં ભીંજાતી વખતે
ક્યારેક એક ક્ષણ
એવી આવી મળે છે
જ્યારે એ વાત કરે છે અને
આપણને કશુંક સંભળાય છે.

એ વાત કાનથી નહીં
હૃદયથી સાંભળવી પડે છે,
મૌન દ્વારા સાંભળવી પડે છે
અને મૌન દ્વારા જ
પહોંચાડવી પડે છે.

વરસાદ એટલે
મનુષ્ય અને ઈશ્વર
વચ્ચેની હૉટ લાઈન.

(From www.readgujarati.com.. thank you for wonderful article:)..