Sunday, September 23, 2007

Saturday, September 15, 2007

અશરફ ડબાવાલા

ઘરમાં એવાં કો’ક દિવસ ચોઘડિયાં આવે,
ખૂટે આંખમાં પાણી ત્યારે ખડિયા આવે.

ડૂબી ડૂબીને ડૂબવાનું શું માણસમાં ?
એક વેત ઊતરો ને ત્યાં તો તળિયાં આવે.

ડગલું એક ભરી શકવાના હોંશ નથી,પણ
ડગલું એક ભરું તો તારાં ફળિયાં આવે.

ઘંટીના પથ્થરની જેવા વિચાર છે, ને -
મારી તારી વચ્ચે બબ્બે દરિયા આવે.

શબ્દોની હૂંડી લઈ ભાષા સામે ઊભો,
પાછો વળવા જાઉં અને શામળિયા આવે.

-અશરફ ડબાવાલા

ખબર છે તને ? - મુકુલ ચોક્સી

હૃદયને રસ્તે હું જન્મ્યો હતો, ખબર છે તને ?
રુદનને બદલે હું મલક્યો હતો, ખબર છે તને ?

હું તારી લટને કિનારે જ આવીને અટક્યો
ક્ષિતિજના ઢાળથી લપસ્યો હતો, ખબર છે તને ?

બિચારા ઈવ કે આદમને કંઈ ખબર ન્હોતી
પ્રણય મેં એમને શીખવ્યો હતો, ખબર છે તને ?
એ વર્ષોમાં તો રચાઈ નહોતી ભાષા છતાં,
હું બૂમ પાડીને બોલ્યો હતો, ખબર છે તને ?

સમયની શોધ થઈ તેની આગલી સાંજે
મેં ઇન્તજારને શોધ્યો હતો, ખબર છે તને ?

-મુકુલ ચોક્સી

Tuesday, August 07, 2007

લાવને તારી આંખમાં

લાવને તારી આંખમાં મારી આંખ મૂકીને જોઉં,
એમ કરીને આજ હું તારા શમણાં જાણી લઉં.


એમ તને કે સુખની બારી આભના જેવડી ખૂલે,
ઝાડને બદલે ટહુકા તારે ટોડલે આવી ઝુલે.
વાયરાને હું વાત કરૂં ને ઘટતું કરવા કહું...
લાવને તારી આંખમાં...

યાદના ટોળાં આંખમાં તારી કરતાં રાતની પાળી,
આવતો સાયબો શમણે ત્યાં તો પાંપણ પાડતી તાળી.
ચાલને મારા ભાગની નીંદર તુજને આપી દઉં
લાવને તારી આંખમાં...


--Gaurang thakar
(From divyabhaskar ..)

Njoy!


તમે હાથ હેઠા કરે દ્યો હવે,
કે સંબંધ તોડી શકતા નથી.
તમે ફોડી શકશો અરીસા કદી,
ચહેરાઓ ફોડી શકતા નથી.

- રમેશ પારેખ

અમૃતથી હોઠ સહુના એઠા કરી શકું છું,
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું;
આ મારી શાયરી તો સંજીવની છે ‘ઘાયલ’
શાયર છું પાળિયા ને બેઠા કરી શકું છું.

- ધાયલ

ડગમગે છે એવી ક્ષણને શું કરું:
ઓગળી જાતાં ચરણને શું કરું.
કાળમીંઢી શક્યતા પલળે નહીં,
તો ભીનાં વાતાવરણને શું કરું.

- મનોજ ખંડેરિયા

મુહોબ્બતના સવાલોના કોઇ ઉત્તર નથી હોતા,
અને જે હોય છે તે એટલા સધ્ધર નથી હોતા;
મળે છે કોઇ એક જ પ્રેમીને સાચી લગન દિલની,
બધાયે ઝેર પીનારા કંઇ શંકર નથી હોતા.

મરીશું તો અમે ખુદ મોત માટે જાન થઈ જાશું
રહીશું બાગમાં તો આગનો સામાન થઈ જાશું
ઉછાળા મારીને અમને ન પાછા વાળ ઓ સાગર
કિનારો આવશે તો ખુદ અમે તોફાન થઈ જાશું.

- શેખાદમ આબુવાલા

લાગણીની બીક લાગે છે મને
વાત એ પણ ઠીક લાગે છે મને
પાણીમાં ચહેરાને જોયો એ પછી
દર્પણો દાંભીક લાગે છે મને !

- ચિનુ મોદી

એવી આ બધી માયાને સમજી લઈએ
પહેલાં પ્રથમ આ દુનિયાને સમજી લઈએ
ઈશ્વર એ પછી સહેજમાં સમજાઈ જશે
એકવાર અમો પોતાને સમજી લઈએ

- ઓજસ પાલનપુરી






Wednesday, July 25, 2007

મારા હિસ્સાનો સૂરજ-ગૌરાંગ ઠાકર

કોયલ કમાડે આવીને ટહુક્યા કરે છે રોજ,
અફસોસ ના રહ્યો કે આ નાનું મકાન છે.

આભને પણ છે વિચારોના દુઃખો,
ક્યાં રહે પળવાર પણ વાદળ વગર?

આવી ઝરૂખે જ્યાં તમે બસ ‘આવજો’ કહ્યું,
આગળ ચરણ ગયાં નહીં, પાછા વળી ગયાં.

સપના સુધી તો આવશો એ ધારણા હતી,
પણ આપ તો ખરા છો કે પાંપણમાં રહી ગયાં.

હું સાંકડી ગલીમાં રસ્તા કરી જવાનો,
માણસ સુધી જવાનો, આગળ નથી જવાનો.

હું છું જ કૈંક એવો, તું છોડ આ પ્રયત્નો,
તું ભૂલવા મથે ને, હું સાંભરી જવાનો.

હોવાપણું ઓ ઈશ્વર, તારું વિવાદમાં છે,
મારી તરફ હું તેથી, પાછો વળી જવાનો.

હું તો માણસ છું, મને છે વળગણો,
રોજ મનને અવગણીને શું કરું?

કોઈ મારા ઘર વિશે જાણે નહીં,
એટલી ભીંતો ચણીને શું કરું ?

હવે તું સુખ વિશેની માન્યતા બદલે તો સારું છે,
કિરણ લાવ્યો છું બસ, સૂરજ ઘરે લાવી નથી શક્તો.

પડછાયાની પૂજામાં રમમાણ રહે તું જીવનભર,
તારું તારી વચ્ચે હોવું ક્યાંક તને સમજાઈ જશે તો ?

તું રહે ખારો એ તારો પ્રશ્ન છે,
કેટલી નદીઓ તને મળતી હતી.

અહીં સીધા રસ્તા મળી જાય તો પણ,
કદી આપણી ચાલ લાવે વળાંકો.

ક્યાં અપેક્ષા હોય છે આભારની?
વૃક્ષ પર વરસાદની તક્તી નથી.

આ ઝાકળ સમું મળવું લંબાય માટે,
આ ઊગતા સૂરજને હું મોડો કરી દઉં.

કોઈ કારણ વગર મળે ત્યારે,
જાત મારી અમીર લાગે છે.

મારો પડછાયો પણ સૂરજ લઈ જાય,
ક્યાં હું અકબંધ ઘેર આવું છું.

તું આવ હે ગઝલ તને આજે ઉતારી લઉં,
કાલે કદાચ દર્દની ઓછી અસર મળે.

છોડી દીધો આભે જ્યારે રસ્તા ઉપર ઝાડે ઝીલ્યો,
પર્ણોની પોલી બારીથી લીલો લીલો દદડે તડકો.

સોબત એને દુનિયાની છે છળવામાં કૈં છોડે થોડો ?
સહરા વચ્ચે મૃગજળ થઈને માણસને પણ ઢસડે તડકો.

મારી ડાળે વસંત બેઠી છે,
ઘરમાં બેસી તમે ગુમાવો છો.

સતત કોઈ અંદરથી બોલી રહ્યું છે,
તને તું કદી સાંભળે તે ખુશી છે.

લગાતાર આવી મળે છે ઉદાસી,
અને રોજ ઓછી પડે તે ખુશી છે.

બધું આ બ્હારથી તો ઠીક છે બદલાવ તું ભીતર,
અરીસો આખરે બોલી ઊઠ્યો છે બ્હાર આવીને.

ઈચ્છા અને તડપ પર, ગઝલો લખું તો લાગે,
સામાન વરસો જૂનો, હું માળ પરથી ઉતારું.

એ પ્રશ્ન માછલીનો, દરિયો છળે કે માણસ ?
જ્યારે કિનારે એને, હું જાળથી ઉતારું.

સદા પાળ બાંધી હું વચ્ચે રહું છું,
સરોવરનું જળ છું વમળ હોય ક્યાંથી?

તને સ્વપ્નવત્ આમ મળવું ઘણું છે,
પ્રભાતે ભલે આપે આઘાત સપનાં.

માણસ પ્હોંચે માણસ લગ,
ઉજવી નાંખો એ અવસર.

હવાને ન ફાવ્યા હવા-પાણી ઘરનાં,
જતી શ્વાસ થઈ, નીકળે થઈ નિઃસાસો.

નીકળીને પુષ્પથી હવે અત્તર થવું નથી,
માણસ થવાય દોસ્ત તો ઈશ્વર થવું નથી.

તારામાં શોધશે પછી વૃક્ષો વસંતને,
બસ શર્ત એટલી હશે, બારી ઉઘાડ દોસ્ત.

સુખમાં દુનિયાની જ સંગત જોઈએ,
દર્દ કહેવા કોઈ અંગત જોઈએ.

જો ભીના થઈ શકાતું હોય તો મારી તલાશી લ્યો,
હું મારા એક ખિસ્સામાં સતત વરસાદ રાખું છું.

સ્મરણ પંખી બની મુજ ટોડલે ટહુક્યા કરે તેથી,
તને સંબંધના પિંજરથી હું આઝાદ રાખું છું.

તું કલમનો હાથ પકડીને જરા ચાલી તો જો,
એ તને ત્યાં લઈ જશે જ્યાં પ્હોંચવાનું હોય છે.

પળભર મળી તું જાય તો લાગે છે એમ દોસ્ત,
ઝરણાં જતાં રહ્યાં અને પથ્થર રહી ગયા.

ફક્ત દેખાય એ જ થાક નથી,
કોઈ ભીતરથી આવે વાજ નહીં.

ઝાડ પહેલાં મૂળથી છેદાય છે,
એ પછીથી બારણું થઈ જાય છે.

એકલા આવ્યા જવાનાં એકલા,
પણ અહીં ક્યાં એકલા જીવાય છે ?

એ જ તોરણને રાખે લીલાંછમ,
દ્વાર જે આવકારમાં જોયાં.

સ્થિર થઈ જાય સ્વપ્ન તો સારું,
માંડ જીવનમાં ગોઠવાયો છું.

ભીડ વચ્ચે અભાવ લાગે છે,
એ જ તારો લગાવ લાગે છે.

તારું રોકાણ ક્યાં છે કાયમનું ?
જિંદગી તું પડાવ લાગે છે.

-ગૌરાંગ ઠાકર

Thursday, July 05, 2007

ગઝલ - હેમેન શાહ

આમ શાને આપણું અડબંગ ખાતું હોય છે ?
એક જીવન કેટલા સ્તર પર જીવાતું હોય છે !

આંખ છે તો પાંખ છે એ સત્ય સ્વીકારું છતાં,
દૃષ્ટિ વાટે કેટલું અંદર ઘવાતું હોય છે !

જનમની મુખપૃષ્ઠ જેવી સનસનાટી હોય છે,
ક્યાંક નીચે નોંધમાં મૃત્યુ મુકાતું હોય છે.

થાય છે મારું પ્રવાહીમાં રૂપાંતર એટલે,
નહિ તો ક્યાં વરસાદ સાથે વહી શકાતું હોય છે ?

ચાહવામાં હૂંફ છે કેવળ અમુક માત્રા સુધી,
એ પછી તો માત્ર આડેધડ દઝાતું હોય છે.

-હેમેન શાહ

Friday, June 29, 2007

"મા" - અશોક ચાવડા ‘બેદિલ’

થઈ અજાણી શહેરમાં આવ્યા પછીથી મા,
આઠ આનાની ચબરખીમાં જ મળતી મા.

હાથને ચૂમી ભર્યાનો થઈ ગયો અનુભવ,
સાવ કોરી પાટીમાં જ્યાં સ્હેજ ઘૂંટી મા.

શ્વાસ મારા એમ કૈં અમથા વધ્યા છે ક્યાં ?
રોજ ખરચાતી રહી છે થોડી થોડી મા.

આ વખત વરસો પછી હું જઈ રહ્યો છું ગામ,
આ વખત થાકી જવાનો હું ય શોધી મા.

આજ હું ‘બેદિલ’ રડ્યો ત્યારે થઈ છે જાણ,
ખૂબ ભીંજાતી હતી મારામાં કોરી મા.

-અશોક ચાવડા ‘બેદિલ’

છું - રાજેન્દ્ર શુક્લ

હું તો ધરાનું હાસ છું,
હું પુષ્પનો પ્રવાસ છું,
નથી તો ક્યાંય પણ નથી
જુઓ તો આસપાસ છું !

- રાજેન્દ્ર શુક્લ

Thursday, June 28, 2007

The way to love someone!

It was Friday morning and a young executive finally decided to ask his boss for a raise. Before leaving for work, he told his wife what he was about to do. All day long he felt nervous and apprehensive. Finally, in the late afternoon, he summoned the courage to approach his employer, and to his delight, the boss agreed for the raise.

The elated husband arrived home. And to his surprise a beautiful table was set with their best crockery and lighted candles. Smelling the aroma of a festive meal, he figured that someone from the office must have called his wife and passed on the message.

Finding her in a kitchen, he eagerly shared the details of his good news. They embraced and danced around the room before sitting down to the wonderful meal which his wife had prepared. Next to his plate, he found and artistically lettered note that read: "Congratulations, Darling! I knew you'd get the raise. This dinner is to show you how much I love you."

Later on his way to the kitchen to help his wife serve dessert, he noticed that a second card had fallen from her pocket. Picking it up from the floor, he read: "Don't worry about not getting the raise! You deserve it anyway! This dinner is to show you how much I love you."

This is the way to love someone, immaterial of whether they succeed or fail in life.

Wednesday, June 27, 2007

સાંજ પડે જેમ - મણિલાલ હ. પટેલ

એકલતાઓ એમ વરસતી જાણે કે ચોમાસું
સાંજ પડે જેમ દીવા પ્રગટે એમ પ્રગટતાં આંસુ …

દૂર દેશની માયા ચીંધી લઈ લીધો મેવાડ
વર્ષો ઊંચાં વૃક્ષો આપી છીનવી લીધા પ્હાડ
મારામાંથી મને મૂકીને કોણ વળે છે પાછું
કલરવ પીંછાં સીમ ગામડાં યાદ મને છલકાવે
જીવવાની અફવાઓ પંખી શહેરોમાં ફેલાવે
છાતી વચ્ચે ઊમટી પડતું ઇડરિયા ચોમાસું

પીળાં પાંદડાં એમ ખરે છે ખરતું જાણે વ્હાલ
સાદ પાડતું કોણ મને એ ? પ્રગટે કેવા ખ્યાલ ?
તિમિરની કેડી પકડીને દૂર કેટલે જાશું ?

- મણિલાલ હ. પટેલ

Wednesday, June 20, 2007

કેટલાક શેરો

શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરઆનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી.
જલન માતરી

પથ્થરોને જે ઘડે એ હો કલાકારો ભલે,
બાકી માણસને તો ઠોકરોથી ઘડે છે પથ્થરો !
બેફામ

જિંદગીને મોતનો જો ભેદ ના રાખો તમે,
જેના ખાલી હાથ છે એ સૌ સિકંદર લાગશે !
બેફામ

વાંધો ક્યાં છે ખરબચડાંનો,
લીસ્સાં પ્રત્યાઘાત નડે છે.
સુરેશ ઝવેરી ‘બેફીકર’

વર્ષોથી ‘ગની’ નિજ અંતરમાં એક દર્દ લઈને બેઠો છે,
છો એનું તમે ઔષધ ન બનો, પણ દર્દ વધારો શા માટે?
ગની દહીંવાલા

તેં જે નથી કહી એ બધી વાત યાદ છે,
તેં જે કહી એ વાતનું કોઈ સ્મરણ નથી !
સુરેશ દલાલ


એક જાણીતી ગઝલના શેરથી
કૈંક જૂના જખ્મ તાજા થાય છે.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની ?
ઈચ્છાને હાથ-પગ છે, એ વાત આજે જાણી
ચિનુ મોદી ‘ઈર્શાદ’

ઝાંઝવા મંગાવવાં પડશે પ્રથમ,
માત્ર બળતી રેત એ કૈં રણ નથી.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

આ દર્દ મહોબ્બતનું જે હરગીઝ નથી મટતું,
ઉપરથી મજા એ કે મને એની દવા યાદ.
મરીઝ

શોકનો માયો તો મરશે ન તમારો 'ઘાયલ',
હર્ષનો માર્યો મરી જાય તો કહેવાય નહીં !
ઘાયલ

નથી એક માનવી પાસે બીજો માનવી હજી પહોંચ્યો,
‘અનિલ’, મેં સાંભળ્યું છે, ક્યારનો બંધાય છે રસ્તો !
રતિલાલ 'અનિલ'

શૂન્ય પાલનપુરી

મોતની તાકાત શી મારી શકે?
જિંદગી તારો ઈશારો જોઈએ
જેટલે ઊંચે જવું હો માનવી
તેટલા ઉન્નત વિચારો જોઈએ

- શૂન્ય પાલનપુરી


sometimes just a thought is enought to make your day!!

Tuesday, June 19, 2007

ભુલી જવાનો હું જ - કૈલાસ પંડિત

ભુલી જવાનો હું જ, એ કહેતા હતા મને,
એવું કહીને એજ તો ભુલી ગયા મને.

પૂછ્યું નથી શું કોઇએ, મારા વિશે કશું?
તારા વિશે તો કેટલું પૂછે બધા મને!

ખોબો ભરીને ક્યાંયથી, પીવા મળ્યું નહિ,
દરિયો મળ્યો છે આમ તો, ડૂબી જવા મને.

થાકી ગયો તો ખૂબ કે ચાલી શકત ન હું,
સારું થયું કે લોક સહુ ઊંચકી ગયા મને.

- કૈલાસ પંડિત


I read his first guzal in gujarti text book.. (i guess 7th grade) since then i love to read his gazals.. diffrent apporach to say things then others and it just goes straight inside ur soul...

Thursday, June 14, 2007

Notes to myself



When I first began trying to be myself, I at times felt trapped by my feelings. I through that I was stuck with feelings I had, that I couldn't change them, and shouldn't try to even if I could. I saw many negative feelings inside me that I didn't want, and yet I felt that I must express them if I were going to be myself.

Since then I have realized that my feelings do change and that I can have a hand in changing them. They change simply by my becoming aware of them. When I acknowledge my feelings they become more positive. And they change when I express them. For example, if I tell a man that I don’t like him, I usually like him better.

The second thing I have realized is that my not wanting to express a negative feelings is a feeling itself, a part of me, and if I want not to express the negative feeling more than I do, then I will be acting more like myself by not expressing it.

-- Hugh Prather.

(Hugh is very amazing writer.. his writings are not for just reading..
cant read him like you read novel.. if you get chance you must buy this book and read cover to cover.. it will just change you... Once i read " if reading don't disturb your soul inside don't read it...!!!" this will 100 % force you to think....)

Gunvant shah..

'If a man is able to drive a vehicle comfortably while kissing the graceful lips, then he is being utterly unjust to the owner of those.'

Guess who is the great personality who has made this statement. Think however you may, chances are you shall be wrong. Such romantic statement is not of Buddha, Mahavira, Jesus, or Mohammad. Gandhi or Vinoba too are not known for uttering this truth. Rabindranath, Bill Gates, or Bill Clinton too have not said this. This statement is of the great scientist, and a lover Albert Einstein. The romantic truth underlying this statement may be accepted by the new generation. But the parents of old generation will never be distressed if they understand its gist too.


You are lovable because you are beautiful, or you are beautiful because you are lovable? The lifetime is spent on divining an answer to this question. A human heart has its own reasons, which the brain would never understand. It is worth remembering that the old age does not hinder you from being able to love, but the love surely can hinder you from growing old. The mathematics of love is quite different from the mathematics of brain. In the mathematics of brain one plus one equals to two. Heart's is the different story. In the mathematics of heart one plus one equals to infinite. Those who are empty at heart but are the owners of fertile brain can succeed in business, not in love. Brain gets on well with Internet. Heart does well with Inner-net.

The power of gravity is not a requisite for falling in love. Love is the greatest power in the world. And this power is measured not in horsepowers, but heartpowers. It is said love is blind. Maybe this is the reason that the 'touch' owns the most important place in love. Natural kiss is a very holy accident in the realm of 'touch'. Unnatural kiss is unholy.

Jesus left a message to the world: If one slaps you on the one side of the face, offer the other side. I have a different message: If one kisses you on the one side of the face, offer the other side. In our society, owing to the mal-influence of films, such misconceptions prevail as kiss is unholy. Sensorship is attached with the kissing scenes. In fact, kiss is not limited to two lovers only. Kiss can be given to a mother, a father, and a friend too. Need has arisen to free the kiss from the confines of sex. In western countries kiss can take place in public. In our country it is considered immoral. But in our country it is not immoral to urinate on the roadside. The people who take kiss for immoral act, don't consider dowry as immoral. Don't consider exploitation of women as immoral. Don't consider forced marriages as immoral. A custom should start to call a wife of an emotion-less husband 'Akhand Durbhagyavati'(one who is destined an interminable misfortune). In our country everyday the marriages-without-love are taking place. Love without marriage is thousand times superior than the marriage without love. There is a great need to understand the meaning of a success of marriage. Success of marriage means, to fall in love with the same person again and again for life. If you see such wonderful couple, do bow at them, without their knowing it. You will not have to take this trouble again and again, as our dead society has more bad-couples than good ones! Some beautiful woman reaches late in office, because she is followed by her liked man who walks with slow pace behind her. All extramarital relations are not unholy, because all marital relations are not holy. Centuries have passed but the mankind has still not succeeded in accepting this truth.

Once a businessfulman met a true lover. Businessful man is he, who has his life entangled in the worldly things, who worries more about tomorrow than today. So far no businessful man has succeeded in loving. Love is compatible only with non-businessful heart. And not everyone is as lucky as to own such an absolute-mad heart. The businessful man asked the lover: 'Do not you have to worry about your financial matters?' The lover replied: 'I don't worry about tomorrow, because I am in love.'

Which is the saddest incident that may befall one's life? Not being able to win anyone's love; dying without being loved by anyone is the most regrettable thing in life. A husband can gift his wife with the only one biggest thing. Only if he has the power to make his wife look at himself all lovingly for eternity, by his actions, the marriage is blessed. How many husbands are there who have earned the true respect of their wives! Marriages are having an infamous characteristic of growing old.

Narada, in his sutra about love, has said: love is all time all-powerful. A thing that can withstand the power of an atom bomb, is the power of love. Osama bin Ladens are often produced out of the love-less thing. I am eager to see his mother.



(There was time when i was hughhh fan of gunvant shan and i used to read his books "dhai akhar prem ka" and "vicharo na vrindavan ma" again and again..
i have read his most of all books which are in articals.. was not able to follow up with his latest one.. today when i found this artical on one blog.. i was so happy to read it again... thx dude who ever posted it :) )

Wednesday, June 13, 2007

સફળતા – સ્વામી વિવેકાનંદ

કોઈ પણ જીવન કદાપિ નિષ્ફળ હોઈ શકે નહીં. સંસારમાં નિષ્ફળતા જેવી કોઈ વસ્તુ જ નથી. ભલે સેંકડો વાર મનુષ્ય પોતાને હાનિ પહોંચાડે, ભલે હજરો વાર એ ઠોકર ખાય, પણ આખરે તેને અનુભૂતિ થવાની જ છે કે હું સ્વયં ઈશ્વરરૂપ છું.

જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમારી પાસે પ્રચંડ ખંત અને દઢ ઈચ્છાશક્તિ હોવાં જોઈએ. ખંતીલો માણસ કહે છે : ‘હું સાગરને પી જઈશ, મારી ઈચ્છા થતાં વેંત પર્વતો કડડભૂસ થઈને તૂટી પડશે.’ આવા પ્રકારની શક્તિ પ્રાપ્ત કરો, આવા પ્રકારની ઈચ્છાશક્તિ દાખવો. જો તમે પુરુષાર્થ કરશો તો જરૂર તમે ધ્યેયને પામી શકશો.


Swami vivekanad is been always pratical and full of positive thinking always..
his thought gives a big push to achive ur aims and stand up and fight for ur goals....:)

Tuesday, June 12, 2007

ભાગ્યમાં જે હોય છે તે થાય છે - ‘આદિલ’ મન્સૂરી

આપનું મુખ જોઇ મનમાં થાય છે,
ચાંદ પર લોકો અમસ્તા જાય છે.

જાગવાનું મન ઘણુંયે થાય છે.
આંખ ખોલું છું તો સપનાં જાય છે.

આંસુઓમાં થઇ ગયો તરબોળ હું,
આપનું દિલ તોય ક્યાં ભીંજાય છે?

આપ શું સમજો હૃદયની વાતમાં,
આપને ક્યાં દર્દ જેવું થાય છે?

લાખ કાંટાઓ મથે સંતાડવા
તે છતાંયે ફૂલ ક્યાં સંતાય છે?

દુઃખ પડે છે તેનો ‘આદિલ’ ગમ ન કર,
ભાગ્યમાં જે હોય છે તે થાય છે.

- ‘આદિલ’ મન્સૂરી

આપણી વચ્ચે - સુરેશ દલાલ

આપણી વચ્ચે કાંઈ નથી ને આમ જુઓ તો જોજન છે.
તું કોઈ ખુલાસો આપ નહીં તને મૌનના સોગંદ છે.

સમજું છું એથી તો જોને
ચૂપ રહેવાની વાત કરું છું
ધુમ્મસ જેવા દિવસોની હું
ઘોર અંધારી રાત કરું છું

વાસંતી આ હવા છતાંયે સાવ ઉદાસી મોસમ છે.
આપણી વચ્ચે કાંઈ નથી ને આમ જુઓ તો જોજન છે.

હવે વિસામો લેવાનો પણ
થાક ચડ્યો છે
આપણો આ સંબંધ
આપણને ખૂબ નડ્યો છે.

આમ જુઓ તો ખુલ્લેઆમ છે ને આ જુઓ તો મોઘમ છે.
તું કોઈ ખુલાસો આપ નહીં તને મૌનના સોગંદ છે.

-સુરેશ દલાલ

Monday, June 04, 2007

રેશમી ક્ષણ – ડૉ. રશીદમીર

એમના પણને સાચવી લઈએ,
રેશમી ક્ષણને સાચવી લઈએ.

મૃગજળોનો ભરમ રહી જાએ,
એમ કૈં રણને સાચવી લઈએ.

આપમેળે થશે ખુલાસાઓ,
પહેલાં સગપણને સાચવી લઈએ.

એ જ અસલી છે આપણો ચહેરો,
એ જ દર્પણને સાચવી લઈએ.

તે પછીથી નિરાંતે ભીંજાશું,
ઓણ શ્રાવણને સાચવી લઈએ.

સ્વર્ગ ચાલીને આવશે સામે,
માના ધાવણને સાચવી લઈએ.

‘મીર’ પોતાને ખોઈ બેસીને,
માત્ર એક જણને સાચવી લઈએ.

Friday, May 18, 2007

તરાપો ખરાબે ચડે

તરાપો ખરાબે ચડે એ ય સાચું,
છતાં યે ન દરિયો જડે એ ય સાચું.

જો મળીએ તો મળવું બની જાય બોજો,
અને સૌને મળવું પડે એ ય સાચું.

નથી કાચ હોતા કદી લાગણીશીલ,
છતાં પણ અરીસા રડે એ ય સાચું.

કદી આવે ઠોકર મદદગાર થઇને,
નડે તો ચરણ પણ નડે એ ય સાચું.

છું પથ્થર વિશે કોતરાયેલું પંખી ને,
પાંખો સતત ફડફડે એ ય સાચું.

- રમેશ પારેખ

મેળો - રમેશ પારેખ

આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે,
કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે.

અહીં પયગંબરની જીભ જુઓ, વેચાય છે બબ્બે પૈસામાં,
ને લોકો બબ્બે પૈસાની ઔકાત લઈને આવ્યા છે.

કોઈ ફુગ્ગાનું ફૂટવું લાવ્યા, કોઈ દોરાનું તૂટવું લાવ્યા,
કોઈ અંગત ફાડી ખાનારું એકાંત લઈને આવ્યા છે.

કોઈ ઝરમર ઝરમર છાંયડીઓ, કોઈ ઉભડક ઉભડક લાગણીઓ,
કોઈ ફાળ, તો કોઈ તંબુની નિરાંત લઈને આવ્યા છે.

કોઈ લા.ઠા., ચિનુ, આદિલજી બુલેટિન જેવું બોલે છે:
અહીંયા સૌ માણસો હોવાનો આઘાત લઈને આવ્યા છે.

કોઈ ચશ્માં જેવી આંખોથી વાંચે છે છાપાં વાચાનાં,
ને કોઈ અભણ હોઠો જેવી વિસાત લઈને આવ્યા છે.

કોઈ લાવ્યા ખિસ્સું અજવાળું, કોઈ લાવ્યા મૂઠી પતંગિયાં,
કોઈ લીલીસૂકી આંખોની મિરાત લઈને આવ્યા છે.

કોઈ ધસમસતા ખાલી ચહેરે, કોઈ ભરચક શ્વાસે ઊમટતા,
કોઈ અધકચરા, કોઈ અણોસરા જજબાત લઈને આવ્યા છે.

આ પથ્થર વચ્ચે તરણાનું હિજરાવુ લાવ્યો તું ય, રમેશ,
સૌના ખભે સૌ અણિયાળી કોઈ વાત લઈને આવ્યા છે.

- રમેશ પારેખ

"Hayati na Hastakshar" ma bahu vaar sambhli hati... one of my favourite..
Ramesh parekh ne jetla vanchu chu etlo j vadhare emno fan thato jav chu..
if you get chance must listen song che!!

Wednesday, May 09, 2007

આંખોમા બેઠેલા ચાતક કહે છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે,
ગાલો પર લજ્જાની લાલી ફુટ્યાનું કોઈ કારણ પુછે તો કહું ખાસ છે !

કોરી કુંવારી આ હાથની હથેળીમાં માટીની ગંધ રહી જાગી
તરસ્યા આ હોવાના કોરા આકાશમાં આષાઢી સાંજ એક માંગી
વરસાદી વાર્તાઓ વાંચી વાંચીને હવે ભીજાવું એ તો આભાસ છે
ગાલો પર લજ્જાની લાલી ફુટ્યાનું કોઈ કારણ પુછે તો કહું ખાસ છે !

કોરપની વેદના તો કેમેય સહેવાય નહીં, રુંવે રુંવેથી મને વાગે
પહેલા વરસાદ તણુ મધમીઠું સોણલું રહી રહીને મારામાં જાગે
નસનસ આ ફાટીને વહેવા ચાહે છે આ તો કેવો અષાઢી ઉલ્લાસ છે
ગાલો પર લજ્જાની લાલી ફુટ્યાનું કોઈ કારણ પુછે તો કહું ખાસ છે !

આંખોમા બેઠેલા ચાતક કહે છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે
ગાલો પર લજ્જાની લાલી ફુટ્યાનું કોઈ કારણ પુછે તો કહું ખાસ છે !

- તુષાર શુક્લ

Tuesday, May 08, 2007

ન તો કંપ છે ધરાનો, ન તો હું ડગી ગયો છું,
કોઈ મારો હાથ ઝાલો, હું કશુંક પી ગયો છું.

જો કહું વિનમ્રભાવે તો સૂરજ સુધી ગયો છું
કે નજરનો તાપ જોવા હું નયન લગી ગયો છું.

હતો હું ય સૂર્ય કિન્તુ ન હતી તમારી છાયા,
ઘણીવાર ભરબપોરે અહીં આથમી ગયો છું.

આ હૃદય સમો તિખારો છે દઈ રહ્યો ઈશારો,
કોઈ કાળે સૂર્યમાંથી હું જુદો પડી ગયો છું.


નથી કંઈ પ્રયાણ સરખું અને પથ કપાઈ ચાલ્યો
નથી કાફલાની હસ્તી અને હું ભળી ગયો છું.


બહુ રાહતે લીધા છે મેં પસંદગીના શ્વાસો,
ન જિવાયું દર્દરૂપે તો સ્વયં મટી ગયો છું.

‘ગની’ પર્વતોની સામે આ રહ્યું છે શીશ અણનમ
કોઈ પાંપણો ઢળ્યાં ત્યાં હું ઝૂકીઝૂકી ગયો છું.


- ગની દહીંવાલા

Friday, May 04, 2007

અમે રાખમાંથીયે બેઠા થવાના,
જલાવો તમે તોયે જીવી જવાના.

ભલે જળ ન સીંચો તમે તે છતાંયે,
અમે ભીંત ફાડીને ઊગી જવાના.

ધખો તમતમારે ભલે સૂર્ય માફક,
સમંદર ભર્યો છે, ન ખૂટી જવાના.

ચલો હાથ સોંપો, ડરો ન લગીરે,
તરી પણ જવાના ને તારી જવાના.

અમે જાળ માફક ગગન આખું ઝાલ્યું,
અમે પંખી એકે ન ચૂકી જવાના !

Friday, March 16, 2007

જેને આપણે દુઃખ સમજીએ છીએ, એ ખરી રીતે તો પ્રભુએ આપણને ઊંચે લઇ જવા માટે આપેલો અનુભવ હોય છે. જે પ્રભુના માર્ગે વાળવા ચાહે છે એણે તો સમજી લેવું જોઇએ કે મારાં કલ્યાણ અને ઉદ્ધાર માટે જ પ્રભુ મને દુઃખ દર્દ આપે છે. આ એની દયાદૃષ્ટિ છે.

દુઃખની વેળાએ જ, જ્યારે આપણે એને યાદ કરીએ છીએ ત્યારે, એ આપણી સૌથી વધુ નજીક હોય છે. સુખ અને ચેનના સમયે તો એની અને આપણી વચ્ચે અંતર ખૂબ વધી જતું હોય છે.

- સંત લોરેન્સ
‘પ્રેમ આંધળો છે’ એવું સૂત્ર રચનારા માનવીની ખરેખર મને દયા આવે છે, કારણ કે તારા સંસર્ગમાં આવ્યા પછી તો મને પ્રકાશનાં દર્શન થયાં છે. અને તેથી જ કહું છું કે પ્રેમ આંધળો નથી, પણ અદભુત અપાર્થિવ પ્રકાશ છે. એ પ્રકાશને જીરવવાની તાકાત ન હોય તો જરૂર માનવી આંધળો બને છે. મને લાગે છે કે પ્રેમના પ્રકાશને ન જીરવી શકનાર, અંધ બનેલા કોઇ અશક્ત પ્રેમીએ જ ઉપરનું સૂત્ર ઘડ્યું હોવુ જોઇએ.

સાગરે એક વખત ચાંદનીને પૂછ્યું :

‘ઓ ચાંદની, સારીય સૃષ્ટિમાં વિધાતાએ સૌન્દર્ય ભર્યું છે. હું કોઇ પ્રત્યે આકર્ષાયો નથી, પણ તારામાં એવું શું ભર્યું છે કે તને જોઇને મારું હૈયું હિલોળે ચઢે છે. હું મસ્ત બનીને તને ભેટવા માટે તલપાપડ બનું છું અને જેમ જેમ તું ખીલતી જાય છે તેમ હું વધુ ને વધુ ગાંડોતૂર બનતો જાઉં છું’

ચાંદનીએ શું જવાબ આપ્યો એ હું જાણતો નથી, પણ સાગરે જે શબ્દ ચાંદનીને પૂછ્યો એ પ્રશ્ન તો આજ હું તને આદિકાળથી પૂછી રહ્યો છું.
એક રાત્રે સ્વપ્નમાં મને ભગવાન દેખાયા.તેમણે મને કહ્યું;”મારા પ્રિય બાળક,હું હંમેશા તારી સાથે જ રહું છું.”


હું કાયમ દરિયાકિનારે ફરવા જાઉં અને જોઉં તો મારા પગલાની સાથે એક જોડ પગલા હોય જ.
મને તરત યાદ આવી જાય કે પગલા તો ભગવાનના છે કારણકે તે હંમેશા મારી સાથે જ રહે છે.પરંતુ જ્યારે જોઉં કે તે મારી સાથે હોય છે તે સમય મારા જીવનનો સુખમય સમય હોય છે.
જ્યારે હું તકલીફમાં હોઉં અથવા દુઃખથી ઘેરાયેલો હોઉં ત્યારે માત્ર હું એક જ જોડ પગલા જોઈ શકું છું.આ તે કેવી રીત? મેં ભગવાનને પૂછ્યું: “તમે કહેતા હતાને કે તમે હંમેશા મારી સાથે જ રહો છો. તો પછી મારા ખરાબ સમયમાં હું કેમ તમારા પગલા નથી જોતો? તે સમયે તમે મારાથી કેમ દૂર જતા રહો છો?”
ભગવાન મધુર સ્મિત કરતા બોલ્યા;”વહાલા બાળક, જે સમયે તું એક જ જોડ પગલાં જુએ છે, તે મારા પગલા હોય છે. કેમકે તે સમયે મેં તને ઉચકી લીધો હોય છે.”

મારી આંખો ભીંજાઈ ગઈ,હું ગળગળો થઈ ગયો.મારું મસ્તક તેમના ચરણોમાં ઝૂકી ગયું.





English:

FOOTPRINTS IN THE SAND
One night a man had a dream.
He dreamed he was walking along the beach
with the Lord.

Across the sky flashed scenes from his life.

For each scene,
he noticed two sets of footprints in the sand.
One belonged to him, and the other to the Lord.

When the last scene of his life flashed before him,
he looked back at the footprints in the sand.

He noticed
that many times along the path of his life,
there was only one set of footprints.
He also noticed that it happened
at the very lowest
and saddest times in his life.
This really bothered him
and he questioned the Lord about it.:


oooO
( )
\ (
\_)

"Lord, you said that once I decided to follow you,
you'd walk with me all the way.
But I have noticed that during
the most troublesome times in my life,
there is only one set of footprints.
I don't understand why when I needed you the most
you would leave me."

oooO
( )
\ (
\_)

The Lord replied,
"My precious, precious child,
I love you and would never leave you.
During your times of trial and suffering,
when you see only one set of footprints,
it was then I carried you."

મને શીખવ - કુન્દનિકા કાપડીયા

હે પ્રભુ,
સંજોગો વિકટ હોય ત્યારે
સુંદર રીતે કેમ જીવવું
તે મને શીખવ.


બધી બાબતો અવળી પડતી હોય ત્યારે,
હાસ્ય અને આનંદ કેમ ન ગુમાવવા
તે મને શીખવ.

પરિસ્થિતિ ગુસ્સો પ્રેરે તેવી હોય ત્યારે
શાંતિ કેમ રાખવી
તે મને શીખવ.

કામ અતિશય મુશ્કેલ લાગતું હોય ત્યારે
ખંતથી તેમાં લાગ્યા કેમ રહેવું
તે મને શીખવ.

- કુન્દનિકા કાપડીયા

“પરમ સમીપે”માંથી સાભાર

Saturday, March 10, 2007

સફળતા જિંદગીની....

સફળતા જિંદગીની, હસ્તરેખામાં નથી હોતી;
ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી.
સુભાગી છે સિતારા કે ગણતરી થાય છે એની,
પ્રણયમાં નહિ તો કોઈ ચીજ ગણનામાં નથી હોતી.
મને દીવાનગી મંજૂર છે આ એક બાબત પર,
મહોબ્બતની મજા તમને સમજવામાં નથી હોતી.
તમે મારાં થયાં નહિ તોય મારાં માનવાનો છું,
કમી સચ્ચાઈમાં હોય છે, ભ્રમણામાં નથી હોતી.
વધુ હસવાથી આંસુ આવતાં જોઈને પૂછું છું,
અસર એનાથી ઊલટી કેમ રોવામાં નથી હોતી ?
હવે આથી વધુ શું ખાલી હાથે દિન વિતાવું હું ?
કે મારી જિંદગી પણ મારા કબજામાં નથી હોતી.
ન શંકા રાખ કે મારી ગરીબી બહુ નિખાલસ છે,
છે એ એવી દશા જે કોઈ પરદામાં નથી હોતી.
ધરાવે છે બધા મારા જ પ્રત્યે સંકુચિત માનસ,
જગા મારે જ માટે જાણે દુનિયામાં નથી હોતી.
કોઈ આ વાત ને સંજોગનો સ્વીકાર ના માને,
જગતની સૌ ખુશી મારી તમન્નામાં નથી હોતી.
મને છે આટલો સંતોષ દુનિયાની બુરાઈનો,
વિકસવાની તો શક્તિ કોઈ કાંટામાં નથી હોતી.
બધે મારાં કદમની છાપ ના જોયા કરે લોકો,
કે મંઝિલ મારી મારા સર્વ રસ્તામાં નથી હોતી.
મળ્યો છે સૌને જીવનમાં સમય થોડોક તો સારો,
ફિકર પોતાની કોઈનેય નિદ્રામાં નથી હોતી.
બીજા તો શું મને અંધકારમાં રાખીને છેતરશે ?
કે મારી જાત ખુદ મારીય છાયામાં નથી હોતી.
ગઝલમાં એ જ કારણથી હું મૌલિક હોઉં છું ‘બેફામ’
પીડા મારાં દુ:ખોની કોઈ બીજામાં નથી હોતી.


One of my all time favourite gazal...
had inspired me a lot whenever i was down...
જ્યાં પહોંચવાની વર્ષોથીતમન્ના હોય,
ત્યાં પહોંચીને હતાશા સાંપડે એવું પણ બને..
જેને શોધવામાં આખી જિંદગીપસાર થઈ ગઈ,
હોય તે પોતાની પાસે જ, એવું પણ બને…
આપણે જીવનમાં પ્રેમભર્યો આનંદ માણીએ,
પણ કોણ જાણેક્યારે અંધારું આપણા ઘરને ઘેરી વળે !
कभी उनकी याद आती है कभी उनके ख्व़ाब आते हैं
मुझे सताने के सलीके तो उन्हें बेहिसाब आते हैं

कयामत देखनी हो गर चले जाना उस महफिल में
सुना है उस महफिल में वो बेनकाब आते हैं

कई सदियों में आती है कोई सूरत हसीं इतनी
हुस्न पर हर रोज कहां ऐसे श़बाब आते हैं

रौशनी के वास्ते तो उनका नूर ही काफी है
उनके दीदार को आफ़ताब और माहताब आते हैं

Monday, March 05, 2007

ઢળી છે સાંજ ને જાગી ઊઠી છે ઈચ્છાઓ,
હવે તો દોસ્તો ! સંભળાવ એના કિસ્સાઓ.
ઘડીમાં રાતની ઉકલી જશે સમસ્યાઓ,
રહે છે ચેનથી ઝુલ્ફામાં એના દ્વિધાઓ.
અવાજના દીવા એકાંતે ઓલવી દીધા,
સૂતો છું રાતના ઓઢીને એના પડઘાઓ.
અધૂરી લાગી છે તારા મકાનની રોનક,
નડ્યા છે આંખને બારી ઉપરના પડદાઓ.
મળી શકાય ગમે ત્યારે બેધડક આવો,
નથી મિલનને જરૂરી કોઈ શિરસ્તાઓ.
ફર્યો છું ‘મીર’ પાછો હું ય અડધે રસ્તેથી,
ભૂસી ગયું તું કોઈ રેત પરનાં પગલાંઓ.
----‘મીર’
રોજ સાંજ ઢળે છે, પણ તારી યાદો ઢળતી નથી
હું શોધ્યા કરુ તને, પણ તું મને મળતી નથી
તારી સાથે વિતાવેલ ક્ષણો સળગાવી નાખી બધી
છતાં મારા હ્રુદય અંદરની તું પિગળતી નથી
ક્યારેક તારામાં શોધતો હતો મારી કવિતાઓ બધી
હવે મારી કવિતાઓમાં પણ તું મને મળતી નથી
કદાચ તું આવી જસે વ્હેલી પરોઢનું સ્વપ્ન બની
એજ આશમાં આંખો મારી હવે ઉઘડતી નથી ..

Wednesday, February 28, 2007

પ્રેમમાં પડનારને શા શુકન શા અપશુકન?
મુલાકાતની "કાળ"માં જ શરૂઆત થઇ હતી
તમારી વાહવાહના સમ છે દોસ્તો
રસ્તામાં પણ બિલાડી આડી ઉતરી હતી
અમે ધર્યો ખાલી ખોબો એમના તરફ
તેમણે ખુલ્લા દીલથી યાદોની લ્હાણી કરી હતી
બોલાઇ જાય જો થોડું ન ગમતું મારાથી
નજરોની બે-ત્રણ જાસા ચિઠ્ઠી મળી હતી
ભલેને પછી એ કચરાપેટીમાં ગઇ હોય
મારી ભેટ એના હાથને તો અડી હતી
વર્ષો જૂની ઇચ્છા આજે પુરી થઇ મ્હારી
એની સૂરતને કેમેરામાં કેદ કરી હતી
જતી વેળા "આવજો" આગળ ન એક શબ્દ
દિલમાં વણઉકેલ્યા સવાલોની કતાર છોડી હતી

Saturday, February 24, 2007

તને ઝરણું મોકલું ,
ને તું જવાબમાં મૌન બીડે.
હું તને દરિયો મોકલું ,
ને તું જવાબમાં મૌન મોકલે.
હું તને પંખી મોકલું ,
ને તું જવાબમાં મૌન બીડે.
હું તને આભ મોકલું ,
ને તું જવાબમાં મૌન બીડે.
જા, હવે બહુ થયું,
હું હવે મૌન વહેતું કરું છું. ને તું,
મારાં આભ, દરિયો અને પાંખ પાછા મોકલ…


From a friend..
thx priyanka...

Thursday, February 15, 2007

પ્રેમ એટલે હું નહીં…
પ્રેમ એટલે તું ય નહીં…
પ્રેમ એટલે-‘હું’ થી ‘તું’ સુધી
પહોંચવાની પ્રણયની નાનકડી કેડી…


પ્રેમ એટલે મોસમનો વરસાદ નહીં…
પ્રેમ એટલે વસંતનો શણગાર નહીં…
પ્રેમ એટલે-પાનખર-રણે ઝઝૂમીને
ફૂટી નીકળેલી એક કુંપળ…
પ્રેમ એટલે કૃષ્ણ જ નહીં…
પ્રેમ એટલે રાધા જ નહીં…
પ્રેમ એટલે-કૃષ્ણની વાંસળીમાંથી
રેલાતાં રાધાની ઊર્મિનાં સૂર…


પ્રેમ એટલે કહેવા જેવી વાત નહીં…
પ્રેમ એટલે સુંદર શબ્દોની લાશ નહીં…
પ્રેમ એટલે-અંતરમાં થતો મૌન ઊર્મિનો મઘમઘાટ…

Tuesday, January 16, 2007

ચાહવું એટલે?!!!

તને ચાહું છું એટલે હું
ઓગળતો રહ્યો છું સતત -
બરફની જેમ,પણ ચાહવાના અર્થને
પામી શક્યો નથી.કદાચ,
તને ચાહવું એટલે…
ધોધમાર વરસાદમાં
કોરાકટ્ટ રહી જવાનીઘટના હશે…!
તને ચાહવું એટલે…
વૃક્ષ થઇને ફળ્યા વગર
રહી જવાની ઘટના હશે…!
કે પછી -તને ચાહવું એટલે
ભર વસંતેપાનખરનો અભિશાપ હશે…!!!
- તને હું પૂછી શકું…
કે તને ચાહવું એટલે ?!
આ નસેનસમાં સળગતી પળનું હોવું
હોવું જાણે ‘તું’ વગરના સ્થળનું હોવું
મન મૂકીને શી ખબર ક્યારે વરસશે ?
મૌન તારા હોઠ પર વાદળનું હોવું
આંખ જો દેખી કે વાંચી ના શકે તો -
અર્થ શો છે ? હાથમાં કાગળનું હોવું
થાય છે રોજ જ કતલ વિશ્વાસની ને
લાગતું બસ ચોતરફ મૃગજળનું હોવું
તારું હોવું ભીંજવી દે છે મને જો
તારું હોવું એટલે ઝાકળનું હોવું
કેમ ખેંચાતું જતું અસ્તિત્વ મારું ?
એ તરફ નક્કી જ કોઈ બળનું હોવું
‘હોવું’ છે કે વ્હેમ છે હોવાપણાનો,હોવું -
ના હોવું; હશે અટકળનું હોવું

-દિલીપ મોદી
કંઇક લખવાનું મન થાય ને હાથ ના ઉપડેએ મૂંઝવણ છે મને…..
કોઇના સપના જોવા હોય ને નીંદર ના આવેએ રોગ છે મને…..
કામ કરવું હોય પણ ધ્યાન ન હોયએ તકલીફ છે મને…..
ને કોઇ ની એક ઝલક માટે આખું આયખું
અટકી રહે એ હદે પ્રેમ છે મને
—— સૌરભ વ્યાસ
ન મને તું કોઈ સવાલ કર ન તને હું કોઈ જવાબ દઉં
મને મોગરા વિશે તું પૂછે તને હાથમાં હું ગુલાબ દઉં.

હું ભીનાશ ઓસથી બાદ પણ કરું તોય શેષ રહે ભીનાશ
દે મને ભીનાશ ગણી ગણી તને ઓસનો હું હિસાબ દઉં.

શું પર્ણ ખરેલું શું રણ વળી રહી સાથસાથ વસંત શી
તું સુવાસ દે મને ખોબલે હું વણીને વાંસની છાબ દઉં.

આ સમય સૂસવતો મને તને કરી દેશે હમણાં અલગ થલગ
દે પતંગિયાનું વજન મને તને વાદળોનો હું દાબ દઉં.

તું લિપિના લોચલચકમાં પણ તું પ્રગટ ગુપ્ત છે અર્થમાં પણ
મને તારો એક શબદ તું દે તને મારી કોરી કિતાબ દઉં.

Monday, January 15, 2007

ધરતી ને ભીંજવતા પહેલી વાર આજે વરસાદ અધુરા લાગ્યા,
મંઝિલ પામવા ના પહેલી વાર આજે સપનાં અધુરા લાગ્યા,
પહોંચુ તો કેવી રીતે તમારા ઘર ના દ્વાર સુધી,
તમારી ગલી ના આજ રસ્તા અધુરા લાગ્યા,
મળવા નું પણ થયું આપણું આવી રીતે, કે………..
આપના મિલન માટે આજે જનમ અધુરા લાગ્યા,
સાથ તારો માંગી ને માંગુ કોની પાસે,
તને માંગવા માટે આજે ભગવાન પણ અધૂરાં લાગ્યા,
તારી યાદ મા તડપવું હતું મારે પણ મારી આંખો ના આજે આંસુ અધૂરાં લાગ્યા.
કાગળમાં તારી યાદના કિસ્સા લખ મને ,
જો શક્ય હોયતો પ્રેમના ટહુકા લખ મને !
તારા વિના અહીં તો છે ધુમ્મસ ફકત બધે
તારી ગલીમાં કેવા છે તડકા લખ મને !
અકળાઇ જાઉં છું આવા અબોલા ના રાખ તું
તારા જ અક્ષરો વડે ઝઘડા લખ મને !
કોઇ મને બીજા તો સહારા નહીં મળે
અમથા જ તારા હાથે દિલાસા લખ મને !
મારા જીવનનો પંથ હજી તો અજાણ છે
કયાં ક્યાં પડયા છે તારાં એ પગલાં લખ મને !

(નેહાના કાવ્ય-સંગ્રહ માંથી)

Saturday, January 13, 2007

અમે દરિયો જોયો ને તમે યાદ આવ્યાં
અમે દરિયો ખોયો ને તમે યાદ આવ્યાં

અમે દરિયાને તીર એક રેતીનો ઢગલો
તમે રેતીમાં સળવળતું પાણી

તમે દરિયાને વળગેલી ખારી ભીનાશ
અમે માછલીના સ્પર્શની વાણી

અમે રેતી જોઇ ને તમે યાદ આવ્યાં
અમે વાણી ખોઇ ને તમે યાદ આવ્યાં

અમે દરિયામાં ડુબેલી નદીઓના નામ
તમે નદીઓના ડુબેલા ગાન

અમે ડુબવાની ઘટનાનું ભુરું આકાશ
તમે વાદળમાં સાગરનું ભાન

નામ ડુબતું જોયું ને તમે યાદ આવ્યાં
આભ ઉગતું જોયું ને તમે યાદ આવ્યાં

I dont know poet's name if you know plzz let me know..

પડી છે - ‘સાબિર’ વટવા.

લલાટરેખાઓને ઘસવી પડી છે,
ઘણી વેળાઓને હસવી પડી છે.

ચકાસી છે ઘણી ધીરજ ધરીને,
અનેક આશાઓને કસવી પડી છે.

ઘણી ઘટનાઓ જીરવી છે અચાનક,
કો અણગમતી રમત રમવી પડી છે.

મે ટૂંપી છે ખચિત મારા જ હાથે,
કંઇક ઇચ્છાઓને દમવી પડી છે.

હતી બક્ષિસ તમારી – ‘ઝિન્દગાની’,
ગમે તેવી તો જીરવવી પડી છે.

વદન પર સ્મિત રેલાવ્યું છે ત્યારે,
હ્રદયમાં આગ પણ ખમવી પડી છે.

‘સાબિર’ વટવા.

Friday, January 12, 2007

પવનચક્કી - એઇલીન કેડી

મને એક પવનચક્કી દેખાડવામાં આવી. તેજ પવન ફૂંકાતો હતો અને પાંખિયાં ખૂબ વેગથી ફરતાં હતાં.
પવન પડી ગયો અને પાંખિયાં ફરતાં અટકી ગયાં, કારણકે ગતિ માટે તે સંપૂર્ણપણે પવન પર આધારિત હતાં.

મેં શબ્દો સાંભળ્યાં :

”ઇહલોકના જીવનની વસ્તુઓમાં તમારી સલામતી ન આરોપો.
તમારી સલામતી મારામાં, સર્વ શક્તિના મૂળ સ્રોતમાં અને તમારી ભીતર ઊંડાણમાં રહેલી તાકાતમાં રાખો. “

એઇલીન કેડી
અનુવાદ - ઇશા – કુન્દનીકા

Thursday, January 11, 2007

સતત ઝંખ્યા કરે છે - બરકત વિરાણી ‘બેફામ’.

સતત ઝંખ્યા કરે છે રાતદિન મારું હ્રદય તમને,
થશે તમને ય આવું, થઇ જશે જ્યારે પ્રણય તમને.

હું તમને સાથ દેવા એટલા માટે જ આવ્યો છું,
કદી લાગે ન મારી જેમ એકલતાનો ભય તમને.

મહોબ્બતમાં મને મારો જ આ સદગુણ નથી ગમતો,
કશું કહેવા નથી દેતો કદી મારો વિનય તમને.

મને એથી જ કંઇએ દુઃખ નથી મારા પરાજયનું,
ખુદાની પાસે મેં માગ્યું હતું આપે વિજય તમને.

જગતમાંથી હવે હું જાઉં છું સર્વસ્વ છોડીને,
તમે આવો તો સોંપી જાઉં હું મારું હ્રદય તમને.

જીવનને જીવવાની તો કદી નવરાશ પણ નહોતી,
મળ્યો કેવી રીતે બેફામ મરવાનો સમય તમને ?