Friday, March 16, 2007

જેને આપણે દુઃખ સમજીએ છીએ, એ ખરી રીતે તો પ્રભુએ આપણને ઊંચે લઇ જવા માટે આપેલો અનુભવ હોય છે. જે પ્રભુના માર્ગે વાળવા ચાહે છે એણે તો સમજી લેવું જોઇએ કે મારાં કલ્યાણ અને ઉદ્ધાર માટે જ પ્રભુ મને દુઃખ દર્દ આપે છે. આ એની દયાદૃષ્ટિ છે.

દુઃખની વેળાએ જ, જ્યારે આપણે એને યાદ કરીએ છીએ ત્યારે, એ આપણી સૌથી વધુ નજીક હોય છે. સુખ અને ચેનના સમયે તો એની અને આપણી વચ્ચે અંતર ખૂબ વધી જતું હોય છે.

- સંત લોરેન્સ
‘પ્રેમ આંધળો છે’ એવું સૂત્ર રચનારા માનવીની ખરેખર મને દયા આવે છે, કારણ કે તારા સંસર્ગમાં આવ્યા પછી તો મને પ્રકાશનાં દર્શન થયાં છે. અને તેથી જ કહું છું કે પ્રેમ આંધળો નથી, પણ અદભુત અપાર્થિવ પ્રકાશ છે. એ પ્રકાશને જીરવવાની તાકાત ન હોય તો જરૂર માનવી આંધળો બને છે. મને લાગે છે કે પ્રેમના પ્રકાશને ન જીરવી શકનાર, અંધ બનેલા કોઇ અશક્ત પ્રેમીએ જ ઉપરનું સૂત્ર ઘડ્યું હોવુ જોઇએ.

સાગરે એક વખત ચાંદનીને પૂછ્યું :

‘ઓ ચાંદની, સારીય સૃષ્ટિમાં વિધાતાએ સૌન્દર્ય ભર્યું છે. હું કોઇ પ્રત્યે આકર્ષાયો નથી, પણ તારામાં એવું શું ભર્યું છે કે તને જોઇને મારું હૈયું હિલોળે ચઢે છે. હું મસ્ત બનીને તને ભેટવા માટે તલપાપડ બનું છું અને જેમ જેમ તું ખીલતી જાય છે તેમ હું વધુ ને વધુ ગાંડોતૂર બનતો જાઉં છું’

ચાંદનીએ શું જવાબ આપ્યો એ હું જાણતો નથી, પણ સાગરે જે શબ્દ ચાંદનીને પૂછ્યો એ પ્રશ્ન તો આજ હું તને આદિકાળથી પૂછી રહ્યો છું.
એક રાત્રે સ્વપ્નમાં મને ભગવાન દેખાયા.તેમણે મને કહ્યું;”મારા પ્રિય બાળક,હું હંમેશા તારી સાથે જ રહું છું.”


હું કાયમ દરિયાકિનારે ફરવા જાઉં અને જોઉં તો મારા પગલાની સાથે એક જોડ પગલા હોય જ.
મને તરત યાદ આવી જાય કે પગલા તો ભગવાનના છે કારણકે તે હંમેશા મારી સાથે જ રહે છે.પરંતુ જ્યારે જોઉં કે તે મારી સાથે હોય છે તે સમય મારા જીવનનો સુખમય સમય હોય છે.
જ્યારે હું તકલીફમાં હોઉં અથવા દુઃખથી ઘેરાયેલો હોઉં ત્યારે માત્ર હું એક જ જોડ પગલા જોઈ શકું છું.આ તે કેવી રીત? મેં ભગવાનને પૂછ્યું: “તમે કહેતા હતાને કે તમે હંમેશા મારી સાથે જ રહો છો. તો પછી મારા ખરાબ સમયમાં હું કેમ તમારા પગલા નથી જોતો? તે સમયે તમે મારાથી કેમ દૂર જતા રહો છો?”
ભગવાન મધુર સ્મિત કરતા બોલ્યા;”વહાલા બાળક, જે સમયે તું એક જ જોડ પગલાં જુએ છે, તે મારા પગલા હોય છે. કેમકે તે સમયે મેં તને ઉચકી લીધો હોય છે.”

મારી આંખો ભીંજાઈ ગઈ,હું ગળગળો થઈ ગયો.મારું મસ્તક તેમના ચરણોમાં ઝૂકી ગયું.





English:

FOOTPRINTS IN THE SAND
One night a man had a dream.
He dreamed he was walking along the beach
with the Lord.

Across the sky flashed scenes from his life.

For each scene,
he noticed two sets of footprints in the sand.
One belonged to him, and the other to the Lord.

When the last scene of his life flashed before him,
he looked back at the footprints in the sand.

He noticed
that many times along the path of his life,
there was only one set of footprints.
He also noticed that it happened
at the very lowest
and saddest times in his life.
This really bothered him
and he questioned the Lord about it.:


oooO
( )
\ (
\_)

"Lord, you said that once I decided to follow you,
you'd walk with me all the way.
But I have noticed that during
the most troublesome times in my life,
there is only one set of footprints.
I don't understand why when I needed you the most
you would leave me."

oooO
( )
\ (
\_)

The Lord replied,
"My precious, precious child,
I love you and would never leave you.
During your times of trial and suffering,
when you see only one set of footprints,
it was then I carried you."

મને શીખવ - કુન્દનિકા કાપડીયા

હે પ્રભુ,
સંજોગો વિકટ હોય ત્યારે
સુંદર રીતે કેમ જીવવું
તે મને શીખવ.


બધી બાબતો અવળી પડતી હોય ત્યારે,
હાસ્ય અને આનંદ કેમ ન ગુમાવવા
તે મને શીખવ.

પરિસ્થિતિ ગુસ્સો પ્રેરે તેવી હોય ત્યારે
શાંતિ કેમ રાખવી
તે મને શીખવ.

કામ અતિશય મુશ્કેલ લાગતું હોય ત્યારે
ખંતથી તેમાં લાગ્યા કેમ રહેવું
તે મને શીખવ.

- કુન્દનિકા કાપડીયા

“પરમ સમીપે”માંથી સાભાર

Saturday, March 10, 2007

સફળતા જિંદગીની....

સફળતા જિંદગીની, હસ્તરેખામાં નથી હોતી;
ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી.
સુભાગી છે સિતારા કે ગણતરી થાય છે એની,
પ્રણયમાં નહિ તો કોઈ ચીજ ગણનામાં નથી હોતી.
મને દીવાનગી મંજૂર છે આ એક બાબત પર,
મહોબ્બતની મજા તમને સમજવામાં નથી હોતી.
તમે મારાં થયાં નહિ તોય મારાં માનવાનો છું,
કમી સચ્ચાઈમાં હોય છે, ભ્રમણામાં નથી હોતી.
વધુ હસવાથી આંસુ આવતાં જોઈને પૂછું છું,
અસર એનાથી ઊલટી કેમ રોવામાં નથી હોતી ?
હવે આથી વધુ શું ખાલી હાથે દિન વિતાવું હું ?
કે મારી જિંદગી પણ મારા કબજામાં નથી હોતી.
ન શંકા રાખ કે મારી ગરીબી બહુ નિખાલસ છે,
છે એ એવી દશા જે કોઈ પરદામાં નથી હોતી.
ધરાવે છે બધા મારા જ પ્રત્યે સંકુચિત માનસ,
જગા મારે જ માટે જાણે દુનિયામાં નથી હોતી.
કોઈ આ વાત ને સંજોગનો સ્વીકાર ના માને,
જગતની સૌ ખુશી મારી તમન્નામાં નથી હોતી.
મને છે આટલો સંતોષ દુનિયાની બુરાઈનો,
વિકસવાની તો શક્તિ કોઈ કાંટામાં નથી હોતી.
બધે મારાં કદમની છાપ ના જોયા કરે લોકો,
કે મંઝિલ મારી મારા સર્વ રસ્તામાં નથી હોતી.
મળ્યો છે સૌને જીવનમાં સમય થોડોક તો સારો,
ફિકર પોતાની કોઈનેય નિદ્રામાં નથી હોતી.
બીજા તો શું મને અંધકારમાં રાખીને છેતરશે ?
કે મારી જાત ખુદ મારીય છાયામાં નથી હોતી.
ગઝલમાં એ જ કારણથી હું મૌલિક હોઉં છું ‘બેફામ’
પીડા મારાં દુ:ખોની કોઈ બીજામાં નથી હોતી.


One of my all time favourite gazal...
had inspired me a lot whenever i was down...
જ્યાં પહોંચવાની વર્ષોથીતમન્ના હોય,
ત્યાં પહોંચીને હતાશા સાંપડે એવું પણ બને..
જેને શોધવામાં આખી જિંદગીપસાર થઈ ગઈ,
હોય તે પોતાની પાસે જ, એવું પણ બને…
આપણે જીવનમાં પ્રેમભર્યો આનંદ માણીએ,
પણ કોણ જાણેક્યારે અંધારું આપણા ઘરને ઘેરી વળે !
कभी उनकी याद आती है कभी उनके ख्व़ाब आते हैं
मुझे सताने के सलीके तो उन्हें बेहिसाब आते हैं

कयामत देखनी हो गर चले जाना उस महफिल में
सुना है उस महफिल में वो बेनकाब आते हैं

कई सदियों में आती है कोई सूरत हसीं इतनी
हुस्न पर हर रोज कहां ऐसे श़बाब आते हैं

रौशनी के वास्ते तो उनका नूर ही काफी है
उनके दीदार को आफ़ताब और माहताब आते हैं

Monday, March 05, 2007

ઢળી છે સાંજ ને જાગી ઊઠી છે ઈચ્છાઓ,
હવે તો દોસ્તો ! સંભળાવ એના કિસ્સાઓ.
ઘડીમાં રાતની ઉકલી જશે સમસ્યાઓ,
રહે છે ચેનથી ઝુલ્ફામાં એના દ્વિધાઓ.
અવાજના દીવા એકાંતે ઓલવી દીધા,
સૂતો છું રાતના ઓઢીને એના પડઘાઓ.
અધૂરી લાગી છે તારા મકાનની રોનક,
નડ્યા છે આંખને બારી ઉપરના પડદાઓ.
મળી શકાય ગમે ત્યારે બેધડક આવો,
નથી મિલનને જરૂરી કોઈ શિરસ્તાઓ.
ફર્યો છું ‘મીર’ પાછો હું ય અડધે રસ્તેથી,
ભૂસી ગયું તું કોઈ રેત પરનાં પગલાંઓ.
----‘મીર’
રોજ સાંજ ઢળે છે, પણ તારી યાદો ઢળતી નથી
હું શોધ્યા કરુ તને, પણ તું મને મળતી નથી
તારી સાથે વિતાવેલ ક્ષણો સળગાવી નાખી બધી
છતાં મારા હ્રુદય અંદરની તું પિગળતી નથી
ક્યારેક તારામાં શોધતો હતો મારી કવિતાઓ બધી
હવે મારી કવિતાઓમાં પણ તું મને મળતી નથી
કદાચ તું આવી જસે વ્હેલી પરોઢનું સ્વપ્ન બની
એજ આશમાં આંખો મારી હવે ઉઘડતી નથી ..