Friday, March 16, 2007

જેને આપણે દુઃખ સમજીએ છીએ, એ ખરી રીતે તો પ્રભુએ આપણને ઊંચે લઇ જવા માટે આપેલો અનુભવ હોય છે. જે પ્રભુના માર્ગે વાળવા ચાહે છે એણે તો સમજી લેવું જોઇએ કે મારાં કલ્યાણ અને ઉદ્ધાર માટે જ પ્રભુ મને દુઃખ દર્દ આપે છે. આ એની દયાદૃષ્ટિ છે.

દુઃખની વેળાએ જ, જ્યારે આપણે એને યાદ કરીએ છીએ ત્યારે, એ આપણી સૌથી વધુ નજીક હોય છે. સુખ અને ચેનના સમયે તો એની અને આપણી વચ્ચે અંતર ખૂબ વધી જતું હોય છે.

- સંત લોરેન્સ

No comments: