Friday, March 16, 2007

‘પ્રેમ આંધળો છે’ એવું સૂત્ર રચનારા માનવીની ખરેખર મને દયા આવે છે, કારણ કે તારા સંસર્ગમાં આવ્યા પછી તો મને પ્રકાશનાં દર્શન થયાં છે. અને તેથી જ કહું છું કે પ્રેમ આંધળો નથી, પણ અદભુત અપાર્થિવ પ્રકાશ છે. એ પ્રકાશને જીરવવાની તાકાત ન હોય તો જરૂર માનવી આંધળો બને છે. મને લાગે છે કે પ્રેમના પ્રકાશને ન જીરવી શકનાર, અંધ બનેલા કોઇ અશક્ત પ્રેમીએ જ ઉપરનું સૂત્ર ઘડ્યું હોવુ જોઇએ.

સાગરે એક વખત ચાંદનીને પૂછ્યું :

‘ઓ ચાંદની, સારીય સૃષ્ટિમાં વિધાતાએ સૌન્દર્ય ભર્યું છે. હું કોઇ પ્રત્યે આકર્ષાયો નથી, પણ તારામાં એવું શું ભર્યું છે કે તને જોઇને મારું હૈયું હિલોળે ચઢે છે. હું મસ્ત બનીને તને ભેટવા માટે તલપાપડ બનું છું અને જેમ જેમ તું ખીલતી જાય છે તેમ હું વધુ ને વધુ ગાંડોતૂર બનતો જાઉં છું’

ચાંદનીએ શું જવાબ આપ્યો એ હું જાણતો નથી, પણ સાગરે જે શબ્દ ચાંદનીને પૂછ્યો એ પ્રશ્ન તો આજ હું તને આદિકાળથી પૂછી રહ્યો છું.

No comments: